Name સાર્થક જલસો-17
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 168
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹100

Shipping Free

સાર્થક જલસો-17 : દસમા વર્ષના આરંભે
ઓક્ટોબર 2013થી શરૂ થયેલી સાર્થક જલસોની સફર દસમા વર્ષમાં પ્રવેશી છે. તેમાં વચ્ચે કોરોનાનાં બે વેવને બાદ કરતાં, નિયમિત રીતે 17 અંક નીકળ્યા છે. તેના તાજા, સત્તરમા અંકમાં પણ, અગાઉના અંકોની જેમ આશ્ચર્યજનક વાચનવૈવિધ્ય જળવાયું છે.
અંકની શરૂઆત છ પાનાંમાં પથરાયેલી, મહેન્દ્ર મેઘાણીની વિશિષ્ટ અને ભાગ્યે જ જોવા મળી હોય એવી તસવીરોથી થાય છે. તો અંકના અંતે હિંદી ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના જીવનકાર્યને અંતરંગ ઢબે રજૂ કરતો અંજલિ લેખ છે.
દસમા વર્ષ નિમિત્તે વિશેષ વાચનસામગ્રીમાં જાણીતા લેખક-પત્રકાર રમેશ ઓઝાની વાચનયાત્રા અને અઠંગ વાચક નંદિતા મુનિની વાચનયાત્રા સામેલ છે. ઉપરાંત, વાચનરસિક અધ્યાપક સંજય ભાવે વિશિષ્ટ રીતે ભેટમાં મળેલાં પુસ્તકો વિશે લખ્યું છે. ઉર્વીશ કોઠારીએ 1950ના દાયકામાં વુમન ઓફ રોમ નવલકથાના ગુજરાતી અનુવાદ સ્ત્રી પર થયેલા અશ્લીલતાના કેસની સચિત્ર અને સિલસિલાબંધ વિગતો આપી છે. વિશેષ સામગ્રીમાં અત્યાર લગી જલસોના અંક પ્રગટ થાય ત્યારે બીરેન કોઠારીએ ફેસબુક પર લખેલાં કેટલાંક મસ્તીભર્યાં ટીઝર્સનું સંકલન પણ છે.
આશિષ મહેતાએ જેએનયુમાં ભણવાના