Name સાર્થક જલસો-7
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

નવા લે-આઉટ અને સમદ્ધ વાચનસામગ્રી સાથે સાર્થક જલસોનો આ સળંગ સાતમો અંક છે. તેમાં ઉપરવાળા પર પ્રેમના અધિકારથી ભક્તે મુકેલું આરોપનામું તુમ એક ગોરખધંધા હો છે. કવિ નાઝ ખિયાલવીએ લખેલી અને નુસરત ફતેહઅલી ખાને ગાયેલી આ કવ્વાલી તર્ક અને શ્રદ્ધાનો જોરદાર મુકાબલો છે, જેને દીપક સોલિયાએ તેમના આગવા અંદાજમાં ઉઘાડી આપ્યો છે. તો બીરેન કોઠારીએ મુંબઇ નજીક આવેલા ગણેશપુરી આશ્રમમાં જોયેલી-અનુભવેલી અધ્યાત્મના અંધારની આલમનું રોમાંચકારી આલેખન કર્યું છે. ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવી એક સ્મૃતિકથા રાજીવ શાહની છે. રશિયાના અંધાધૂંધીભર્યા સમયમાં રાજીવ શાહ સાત વર્ષ સુધી પત્રકાર તરીકે મોસ્કોમાં રહ્યા હતા. એ સમયનાં તેમનાં સંભારણનાં અને મારું દાઘેસ્તાન ના લેખક રઝુલ હમઝાતોવ (કે ગમઝાતોવ) સાથેની તેમની મુલાકાત જુદી જ દુનિયામાં લઇ જાય એવાં છે.