Name નીરજા ભાર્ગવ
Author Ashwinee Bhatt
અશ્વિની ભટ્ટ
Binding soft
Weight 300.0 Gram
Pages 246
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹195 ₹240

Shipping Free

રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના ક્વાર્ટર્સમાં આવી પડેલી એ ખૂબસૂરત ચિનગારીઓમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ કથાનું વસ્તુ છે. નાનકડા સ્ટેશન પર ઠંડીના દિવસોમાં સગડાઓ મૂકીને, નેતરની આરામખુરશીમાં બેસીને, રાઇફલ સાફ કરતો સ્ટેશન માસ્તર કોઈને પણ કુતૂહલ જગાવે. તેમાંય જ્યારે બ્લૂ જિન્સ અને હન્ટિંગ કોટ પહેરેલી બે છોકરીઓ, ખભે ચામડાના થેલા ભરાવીને ટ્રેન આવવાની રાહ જોતી સાવ નાના સ્ટેશન પર એકલી ઊભી હોય ત્યારે એ કોણ હશે? ક્યાં જતી હશે? એવા પ્રશ્નો સ્ટેશન પર ફરતા કોઈને પણ થાય. ટ્રેનમાં મુસાફરી કરતાં જ આ દૃશ્યો પરથી કંઈક વસ્તુ આકારમાં આવ્યું. તે પાંગરે તે પહેલાં તેમાં ઘણાં બીજાં દૃશ્યો ઉમેરાયા...અને તેમાંથી નીરજા ભાર્ગવ પરિણમી.
Other Books by same Author